REVENGE

REVENGE - વેરવૃત્તિ -બદલો 


અંગ્રેજી માં એક કહેવત છે કે revenge is a dish best serve cold , અને હિન્દી ફિલ્મો માં આપણે ઘણી  છે કે બદલ જીતના પુરાણ હોતા હે ઉતના હી ખતરનાક હોતા હે ,ફિલ્મ ડિરેક્ટર માટે વેર ની theme  ખુબ પ્રિય 


મારા મત  પ્રમાણે બદલો લેવો કે વેર વાલ્વની લાગણી જેટલી માણસ માટે હસવું ,રડવું,આનંદ વ્યક્ત કરવો જેટલી જ સહઃજ  વૃત્તિ છે. એક એવી વૃત્તિ જે બધા ના મન માં ઊંડે ઊંડે ધરબાયેલી છે પણ તેની વાત કરવાનું ,તેની ચર્ચા કરવાનું લોકો ટ ળે  છે, વેર લેવાની માનવ સહજ વૃત્તિ સદી ઓ પુરાણી છે મહાભારત માં કહેલું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણં એટલે કે વેર ના વાળવું અને માફ કરી દેવું એ વીર નું આભૂષણ કે લક્ષણ છે પણ પ્રેકટીકલ જીવન માં આ વસ્તુ શક્ય નથી ,.કોઈ એ આપેલ દગો, અપમાન  ,ઘા વગેરે મન માં ઊંડે ઊંડે જળવાઈ રહે છે સમય આવ્યે વ્યાજ સહીત એનો બદલો આપવા માટે ,  મહાભારત માટે   ની સાથે સાથે વેરકાવ્ય છે ,  આંધળા ના પુત્ર આંધળા એવા મહેણાં નું વેર ભાંગવા કૌરવો એ જુગાર માં દ્રૌપદી જીતી એનું અપમાન કર્યું,ફરી આ અપમાન નું વેર વાલ્વ દ્રૌપદી એ દુઃશાશન ના રક્ત થી વાળ  ધોવાની પ્રતિજ્ઞા લીધી,વચ્ચે કર્ણ ના સૂતપુત્ર ના મ્હેણાં નુ વેર,ત્યાં સુધી કે ભીષ્મ એ કરેલ અપમાન નો બદલો લેવા શિખંડી એ બીજો જન્મ લીધો ,જન્મો જન્મ ની પ્રીત  ની જેમ જન્મોજન્મ નું વેર !
               વેરવૃત્તિ સાથે ની માનવ ની લડાઈ વારસો જૂની છે। એક મહાન કવિ સેક્સપિયર ના શબ્દો માં જોઈએ તો , "If you prick us do we not bleed? If you tickle us do we not laugh? If you poison us do we not die? And if you wrong us shall we not revenge?"  અહીં કવિ ચોખ્ખા શબ્દો માં દર્શાવે છે કે બદલો લેવો ,વેર વાળવું આનિવાર્ય છે ,જેમ સુરજ ઉગવાનું નિશ્ચિત છે એવી જ રીતે !! 
હોઈ શકે પણ ગ્રીક ફિલસૂફ કન્ફુસીયસ આખી ફિલસુફી નો અર્ક કાઢતા હોય એમ કહે છે કે જયારે તમે બદલો લેવા ના રસ્તા પાર આગળ વાંધો એ પહેલા બે કબર બનાવજો અને ગાંધી એની સાથે સહમત થતા કહે છે કે આંખ સામે આંખ લેવાથી આખી દુનિયા આંધળી થઇ જશે ,
વેરવૃત્તિ દરેકે ને અનુભવ થયેલ હોય ક્યારેક ને ક્યારેક આપણે કોઈ નુકશાન કરે ત્યારે આપણે ઈચ્છએ  છીએ કે આનું ખરાબ થાય કે ભગવાન આણે એના ખરાબ કર્મો નું ફળ આપે , અંકુશ વગર ની વેરવૃત્તિ મહાભારત ની જેમ બધું નષ્ટ કરી નાખે છે 
અને બાઇબલ માં પણ લખેલ છે કે ,: "Never take your own revenge, beloved, but leave room for the wrath of God, for it is written, 'VENGEANCE IS MINE, I WILL REPAY', says the Lord

                   પણ આ વૃત્તિ માણસ માં સુ કામ છે એનું ઊંડાણ પૂર્વક સંશોધન કરતા એવું લાગે છે કે વેરવૃત્તિ માણસ ની કુદરત પાસે કે પોતાની સાથે ન્યાય મેળવવાની અદમ્ય ઈચ્છા છે અને કોઈ આપણા કરેલ કાર્ય નો બદલો વાલ્સે એ ડર એ આપણી રક્ષા માટે આપણા અંતર્મન  ને સતત સજાગ રાખે છે  
       ઘણા કહે છે કે વેર વળ્યાં પછી પણ મન ને શાંતિ નથી મળતી તો મન ને શાંતિ તો ક્ષમા આપ્યા પછી પણ નથી મળતી અને મન માં સતત એક ઉચાટ આવ્યા કરે છે 
 અહીં આપણે વેરવૃત્તિ થી ખદબદતી શોકકીંગ સ્ટોરી વિશે એક પછી એક જોઈસુ કે જે મારા મત  મુજબ 
 ગમશે ,લગભગ 10 કે 12 સ્ટોરી સમાવવાનો આ બ્લોગ થકી વિચાર છે જોઈએ આગળ !!

1. Pierre Picaud

           '' જુવો આપણે ખાલી મજાક માટે કમિશ્નર ને પત્ર  લખીયે કે પિયર પિકોડ એ ઇંગ્લેન્ડ નો જાસૂસ છે અને અને ખબરી છે જે થી પોલીસ એને પકડી ને જેલ માં નાખશે અને થોડા દિવસ એના લગ્ન પાછળ જશે "
  લુપીઅં ,સોલારો,ચોબર્ટ અને અલુટ  નામના ચાર મિત્રો ની આ મજાક ભોળા,નખશીખ સજ્જન પિયર પિકોડ ને જિંદગી બદલી નાખનારી હતી 
          મસ્તી મજાક વાળો આ પાત્ર કમિશ્નર ને માલ્ટા જ ટૂંકી પુચ્ચ્પ્રચ બાદ પિયર ને arrest  કરી ને દૂર કોઈ જૈલ માં નાખી દેવામાં આવ્યો કે જેના થોડાક જ સમય બાદ એક માલદાર છોકરી સાથે લગ્ન થવાના હતા।  કોઈ પણ મિત્ર એ પોલીસે ને સત્ય જણાવવા ની તસ્દી ના લીધી અને પિયર ને સાત વર્ષ  ની સજા મળી , સાત વર્ષ ની કલ કોઠી આજીવન કારાવાસ જેવી લગતી કારણ કે તેની પરણેતર બહાર એની રાહ જોતી હતી ,વારંવાર ભાગી જવાના વિચાર આવતા જે અશક્ય હતું પણ એને એક નેનો રસ્તો બનાવ્યો કે જે બાજુ ની કોઠી માં બીજા કેડી સાથે મળી શકાય આ કેડી એક સમય નો ધનવાન ચર્ચ નો પાદરી હતો , આમ પિયર ને ગુરુ અને પાદરી ને શિષ્ય મળી ગયો।  સાત વર્ષ સુધી પાદરી એ એને સામાજિક સમજણ ના પાથ શીખવ્યા અને મારતી વખતે એને ઇટાલી ના મિલાન શહેર માં  છુપાવેલા ખજાના ની વાત કરી.
                          7 વર્ષ પછી જેલ માં થી છૂટ્યા બાદ ત્યાં થી મિલાન જય ખજાનો હસ્તગત કર્યો અને ત્યાર બાદ પોરિસ માં નામ બદલાવી ને 10 વર્ષ સુધી કઈ રીતે એના મિત્રો  લેવો એનું પ્લાંનિંગ કર્યું 
                           અને પછી આવ્યો ન્યાય નો દિવસ કે જયારે પેયર પિકોડે પોતાના પાર થયેલ ,અન્યાય,દગાબાજી,જુલ્મ નો એક એક પાસે હિસાબ લેવાનું સારું કર્યું 
 સૌ પ્રથમ એને એના મિત્ર ચોબર્ટ નું ખૂન  કર્યું અથવા તો કરાવડાવ્યું,ત્યાર બાદ વારો આવ્યો લુપીઅં નો કે જેને એની પરણેતર સાથે પોતાના જેલવાસ ના સમય માં લગ્ન કાર્ય હતા સૌ પ્રથમ એને વેશપલટો કરી ને એક ગુનાહિત વ્યક્તિ જોડે લુપીઅં ની દીકરી ના લગ્ન કરાવ્યા ત્યાર બાદ એ વ્યક્તિ ને જેલ માં નંખાવ્યો અને આ આઘાત માં એ છોકરી મૃત્યુ પામી, આગળ જતા લુપિઅન ની રેસ્ટોરન્ટ  સળગાવી દીધી અને એક્દુમ ગરીબ બની  લુપિઅન ના છોકરા ને સોના ની ચોરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને એ જ કેસ માં તેને જેલ માં પુરાવી દીધો અને ત્યાર બાદ લુપીઅન નું પણ કહું કર્યું,આ બધું એને અલગ અલગ વેશભૂષા અને પ્લાનિંગ થી કર્યું।  ચોથા વધેલ મિત્ર અલુટ સાથે ની લડાઈ માં પિયર નું મૃત્ય થયું ,અને અલૂટે આ આખી કથા પોલીસ ને death declaration માં સંભળાવેલી। 


                          આ આખી ઘટના કે વાત ક્યાંક ને ક્યાંક સાંભળેલી કે વાંચેલી હોય એવું લાગે છે ને ?! રિવેન્જ સ્ટોરી ની પાયોનિયર એવી ,છળ ,કપટ રાજકારણ ,સસ્પેન્સ ,થ્રિલ થી ભરપૂર
19 મી સદી  ના મહાનતમ લેખક એલેક્ષાંડર ડુમા ની the count of monte cristo
  આ બુક ના ઘણા એવા વાક્યો છે જે મને ખુબ ગમે છે એ  કરું છું


  • મન પાર પડેલ ઘા નું એક લક્ષણ છે એને આસાની થી છુપાવી શકાય છે પણ ક્યારેય રૂઝાવી શકતા નથી એ હૃદય માં હંમેશા હંમેશા ખુલ્લા રહે છે સહેજ અડકો અને લોહી વહેવા માટે તૈયાર 
  • બધી દુષ્ટતા નો એક જ ઈલાજ છે સમય અને મૌન 
  • યાદ રાખો કે જેને તમારી સાથે એક વાર કર્યું એ ફરીથી પણ કરી શકે છે 
  • જો તમારે ગુનેગાર ને પકડવો હોય તો પહેલા એ નક્કી કરો કે ગુનો કરવાથી કોને ફાયદો થાય 

Comments

Popular Posts